Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રજૂ થયેલા તમામ ૧૧ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

  • September 27, 2024 

દર મહિનાના ચોથા ગુરુવારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે. જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયો હતો.


જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તેમજ નિવાસી અધિક કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ વિષયને લગતાં ૧૧ જેટલા પ્રશ્નો રજૂ થયા હતાં. કલેકટરશ્રીએ તમામ અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી, અરજદારોની તમામ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કર્યો હતો. વધુમાં, જિલ્લા સ્વાગત અંતગર્ત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત અરજદારોના વણઉકેલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી અરજદારોના પ્રશ્નોનું ઝડપથી અને સમયમર્યાદામાં નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application