Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરનાથ યાત્રાએ ગયેલ વડોદરાનો એક યુવક દર્શન કરે તે પહેલાં જ હાર્ટ એટેક આવતાં મોત

  • July 17, 2023 

તાજેતરમાં જ અમરનાથ યાત્રામાં ખરાબ હવામાનને કારણે ફસાયેલા ગુજરાતીઓએ વીડિયો જાહેર કરીને સરકારની મદદ માંગી હતી. આ અરસામાં વડોદરા અને ભાવનગરનાં નાગરીકોનાં મોત થયાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે વધુ એક વડોદરાનાં અમરનાથ યાત્રીનું મોત થયાનું સામે આવ્યું છે. વડોદરાનાં એક યુવકને દર્શન કરે તે પહેલાં જ હાર્ટ એટેક આવતાં તેનું મોત નિપજ્યું હતું.  સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડોદરાનાં ફતેપુરા વિસ્તારમાં આવેલ પીતાંબર પોળમાં રહેતો 32 વર્ષીય યુવક ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયો હતો. અમરનાથ પહોંચીને દર્શન કરે તે પહેલાં જ તેનું પહેલગામ હોસ્પિટલમાં 3 હાર્ટએટેક આવતાં મોત થયું હતું. તેમને પહેલગામમાં અચાનક ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.



જ્યાં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થયું હતું. આજે પોસ્ટમોર્ટમ થયા બાદ તેમના મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા ખાતે લાવવામાં આવશે. અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા 32 વર્ષનાં યુવકને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. અગાઉ પણ 20 દિવસ પહેલાં જ નીતિનભાઇ કહારનું પણ અમરનાથ યાત્રામાં મોત થયું હતું. આ પહેલાં અમરનાથમાં વરસાદ અને બરફનાં વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતાં વડોદરાના વેમારી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું. અકાળે અવસાન થતાં આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News