Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડા ના શાહુડા ગામમાં ધર્માંતરણની પ્રવૃત્તિ અને ગેરકાયદે દેવળ મુદ્દે વિરોધનો વંટોળ

  • December 20, 2022 

આ અંગે મળતી વિગતો મુજબ સોમવારે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડામાં આવેલા શાહુડા ગામના પંચાયતના સરપંચ રક્ષાબેન ચુનીલાલ ચૌધરી અને ગ્રામજનોએ કલેકટરને ઉદ્દેશી રજૂ કરાયેલા આવેદનપત્રમાં ગામમાં પંચાયતની જાણ બહાર ગેરકાયદે દેવળ બનાવવાનું કામ અટકાવી દેવા માગ કરાઇ છે. જેમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, શાહુડા ગામમાં કેટલાક તત્વો શાંતિ સુલેહનો ભંગ કરી ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરી રહ્યા છે.


શાહુડા ગામમાં દફતરે એક પણ ખ્રિસ્તી નોંધાયેલ નથી. તેમ છતાં ગામમાં રહેતા ચેંદર રામજીભાઇ ચૌધરી પોતાની જગ્યામાં ગ્રામ પંચાયતની ના હોવા છતાં ગેરકાયદે દેવળ બનાવવાનું કામ ચાલૂ કર્યું છે. ચેંદરભાઇ જંગલખાતામાં વોચમેનની ફરજ બજાવે છે જેઓ હિન્દુ-ચૌધરી બતાવીને સરકારી નોકરી કરે છે. તેઓએ ખ્રિસ્તી તરીકે કોઇપણ સરકારી દફતરમાં નોંધ કરાવી નથી.


આ મામલે કડક કાર્યવાહી કરવા સરપંચ અને ગ્રામજનોએ માગ કરી આદિવાસી વિસ્તારમાં કેટલાક લોકો હિન્દુ આદિવાસીના નામે સરકારી નોકરી કરતા હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત આદિવાસીઓને સનાતન ધર્મથી વિમુખ કરી ધર્માંતરણ કરાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કલકટર અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માગ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application