Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોક્ટર વૈશાલી જોશીના આપઘાતનાં એક અઠવાડિયા બાદ આરોપી PI બી.કે. ખાચર સામે ફરિયાદ નોંધાઈ

  • March 16, 2024 

અમદાવાદમાં ડોક્ટર વૈશાલી જોશીના આપઘાતને એક અઠવાડિયા જેટલો સમય થયો છે. ત્યારે હવે આરોપી PI બી.કે. ખાચર સામે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અત્રે જણાવીએ કે, 2 દિવસ પહેલા પોલીસે મહીસાગરમાં પરિવારના નિવેદન નોંધ્યા હતા. મૃતક ડૉ.વૈશાલી જોષીના બહેન કિંજલ પંડ્યાએ ફરિયાદ દાખલ કરી છે. PI ખાચરના ત્રાસથી વૈશાલી જોષીએ આપઘાત કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે.ગાયકવાડ પોલીસે IPC 306 કલમ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.


વૈશાલીએ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં આપઘાત કર્યો ત્યારે ખાચર પોલીસના વાર્ષિક સંમેલનના એક કાર્યક્રમમાં હતો અને ત્યાં જ તેને ખબર પડી હતી કે વૈશાલીએ આપઘાત કરી લીધો હતો, તરત તે ત્યાંથી નીકળી ગયો હતો અને કોઈ અજ્ઞાત જગ્યાએ જતો રહ્યો હતો. હજુ સુધી તેની કોઈ ભાળ મળી નથી.22 લોકોએ પોલીસને આપેલા નિવેદનોમાં વૈશાલીના આપઘાતમાં પીઆઈ ખાચરને જવાબદાર ઠેરવ્યો છે. અત્રે જણાવીએ કે, પોલીસને મહિલાના મૃતદેહ પાસેથી 15 પાનાની સુસાઈડ નોટ મળી છે. જેમાં જણાવ્યું હતું કે, હું જે અંતિમ પગલુ ભરવા જઈ રહી છું, તેની પાછળ PI ખાચર જવાબદાર છે . મારી અંતિમ વિધિ PI ખાચર કરે તેવો પણ સુસાઈડ નોટમાં ઉલ્લેખ હતો. મહિલા અને પોલીસ ઈન્સ્પેક્ટર ખાચર વચ્ચે 5 વર્ષથી પ્રેમ સંબંધ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application