Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં બાકરોલ ગામની સીમમાં આગનો બનાવ બનતા દોડધામ મચી

  • May 28, 2024 

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામની સીમમાં આગનો બનાવ બનતા દોડધામ મચી હતી. પ્રાથમિક તબક્કે કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હોવાનું અનુમાન લગાવી તેને બુઝાવવા સ્થાનિકોએ પ્રયાસ કર્યો પણ સ્થિતિ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડને મદદે બોલાવાયા હતા. પ્રાથમિક તપાસમાં કચરાના ઢગલામાં કેમિકલ વેસ્ટ હોવાની પણ શંકા ખુદ અધિકારીઓને જન્મી હતી. બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. નેશનલ હાઇવેને અડીને નિકાલ કરાયેલ કચરાના ઢગલામાં આ આગ લાગી હતી. ખુલ્લા પ્લોટમાં રસાયણિક ઘન કચરાનો નિકાલ કરાયો હોવાની તંત્રને શંકા છે જેમાં આગ લાગી ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. રાસાયણિક કચરા અંગે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application