Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરળમાં માનવ બલિનો મામલો બન્યો : આર્થિક લાભ માટે મહિલાની બલિ ચડાવનાર દંપતિ ઝડપાયું

  • October 12, 2022 

કેરળનાં એક ગામમાં માનવ બલિનો મામલો સામે આવ્યો છે. એક કપલ દ્વારા પોતાના આર્થિક લાભ માટે એક મહિલાની પોતાના ઘરમાં જ બલિ ચડાવવામાં આવી હતી. મહિલાનાં શરીરનાં ટુકડા કરીને બાદમાં તેને જુદા-જુદા સ્થળે દફનાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાની સમગ્ર કેરળમાં ભારે ચર્ચા જાગી છે. કેરળના મુખ્યમંત્રી વિજયને પણ આ ઘટનાની ટિકા કરી હતી અને કહ્યું હતું કે, આ પ્રકારની હત્યાઓને સમાજમાં કોઇ જ સ્થાન ન હોવું જોઇએ. જે પણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં ભગવાલસિંઘ, તેની પત્ની અને મુહમ્મદ શાફીનો સમાવેશ થાય છે.




જોકે આ આરોપીઓએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે. પોલીસે જણાવ્યું હતું કે, 50 વર્ષીય પીડિત મહિલા કદાવંથારાની રહેવાસી છે. સપ્ટેમ્બર મહિનાથી આ મહિલા ગૂમ હતી. જેની શોધખોળમાં અંતે માનવ બલિનો મામલો સામે આવ્યો હતો. આ મહિલાને થિરુવલ્લાના ગામમાં આરોપીઓના ઘરમાં જ મારી નાખવામાં આવી હતી. જોકે આ કોઇ પ્રથમ કેસ નથી, અગાઉ આ જ ઘરમાં જૂન મહિનામાં પણ એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા પતિ અને પત્ની દ્વારા કરવામાં આવી હતી જ્યારે પીડિતોને તેના ઘરે ફોસલાવીને લાવવાનું કામ મુહમ્મદ શાફી નામનો વ્યક્તિ કરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application