Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લુધિયાણાનાં ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક થતાં 9 લોકોનાં મોત, મુખ્યમંત્રીએ કર્યું દુઃખ વ્યકત

  • April 30, 2023 

લુધિયાણામાં એક મોટી ઘટનાનાં સમાચાર આવી રહ્યા છે. અહીં ગ્યાસપુરા વિસ્તારમાં ગેસ લીક ​​થવાથી 9 લોકોનાં મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. આ ગેસ લીકની ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ગેસ ફેક્ટરીમાંથી લીક થયો છે જે બાદ ઘણા લોકો બેહોશ થઈ ગયા હોવાના અહેવાલ છે. આ ફેક્ટરી શેરપુર ચોકડી પાસે સુવા રોડ પર આવેલી છે. આ ગેસ લીકની ઘટના આજે સવારે 7.15 વાગ્યે બની હતી. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.






પોલીસે આ વિસ્તારમાં લોકોની અવરજવર અટકાવી દીધી છે અને બચાવ કામગીરીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભટિંડાથી NDRFની ટીમ પણ ગ્યાસપુરા જવા રવાના થઈ ગઈ છે. ઘાયલોને તાત્કાલિક વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ લુધિયાણાના ગ્યાસપુરામાં ગેસ લીકની આ ઘટનાની દુઃખદ વ્યક્ત કર્યુ છે. એક ટ્વિટમાં સીએમ માનએ કહ્યું કે, લુધિયાણાના ગ્યાસપુરા વિસ્તારમાં ફેક્ટરીમાંથી ગેસ લીકેજની ઘટના ખૂબ જ દુઃખદ છે. પોલીસ, સરકાર અને NDRFની ટીમો ઘટના સ્થળે હાજર છે. શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application