Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝેરી દારુ પીવાથી 9 લોકોના મોત

  • November 10, 2023 

હરિયાણના યમુનાનગરમાં ઝેરી દારુ પીવાથી 9 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અંબાલા પોલીસે ધનૌરા-બિંજલપુર ગામના શેરડીના ખેતરોમાં આજે દરોડો પાડ્યો છે, જેમાં દારુની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ફેક્ટરીમાંથી 200 લીટર દારુના 20થી 30 ડ્રમ અને દારુની ખાલી બોટલો જપ્ત કરાઈ છે. આ સાથે એસપી જશનદીપ સિંહ રંધાવાએ લોકોને દેશી દારુ ન પીવાની અપીલ કરી છે.


એસપી જશનદીપ સિંહ રંધાવાએ બેચ નંબર-16 નવેમ્બર 2021 ઓએસિસ ઓવરસીઝ ડિસ્ટલરી દ્વારા બનાવાતી બ્રાન્ડ માલ્ટાની દેશી દારુ ન પીવા લોકોને અપીલ કરી છે. આ દારુ ઝેરી હોવાની આશંકાના કારણે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત તેમણે માલ્ટા બ્રાન્ડની દારુ ક્યાં પણ વેચાતી જોવા મળે, તો તુરંત પોલીસને જાણ કરવા કહ્યું છે.


ઘટનાની જાણ થતાં જ યમુનાનગરના એસપી ગંગા રામ પૂનિયાએ કહ્યું કે, ઝેરી દારુ પીવાથી એકનું મોત થયું હોવાની તેમને સૂચના મળી હતી. આ અગાઉ પાંચ દર્દીઓના મોત થયા હતા. પોલીસને જાણ કર્યા વિના પાંચેય વ્યક્તિઓના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application