Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિઝોરમમાં પથ્થરની ખાણ ધરાશાયી થતાં 8 મજુરોનાં મોત

  • November 15, 2022 

મિઝોરમમાં સોમવારે એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં 12 મજૂરો ફસાયા હતા. અત્યાર સુધીમાં 8 મૃતદેહો મળી આવ્યા છે અને 3 લોકોનાં શરીરનાં કેટલાક અંગો મળી આવ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે, તમામ બિહારનાં રહેવાસી છે. SDRF, BSF અને આસામ રાઈફલ્સની ટીમ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એક મોટી પથ્થરની ખાણ છે. ખાણકામમાં રોકાયેલા 12 મજૂરો ફસાઈ ગયા હતા.

આ અકસ્માત હનાથિયાલ જિલ્લામાં થયો હતો અને અચાનક થયેલા અકસ્માતને કારણે ત્યાં હાજર મજૂરોને ભાગવાની તક પણ મળી ન હતી. સમાચાર મળતાં જ આસપાસનાં ગામોનાં લોકો પહોંચી ગયા અને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. SDRF, BSF અને આસામ રાઈફલ્સની ટીમો હજુ પણ રાહત અને બચાવમાં લાગેલી છે. આ ખાણનો કોન્ટ્રાક્ટ ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ સાથે છે અને છેલ્લા અઢી વર્ષથી અહીં ખાણકામનું કામ ચાલી રહ્યું હતું. સ્થાનિક તંત્ર પણ સ્થળ પર હાજર છે અને કામદારોને ખાણમાંથી બહાર કાઢવાના પ્રયત્નો ચાલુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News