Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક બસ ખીણમાં પડતા 7 લોકોનાં મોત નીપજ્યાં

  • May 30, 2023 

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની છે. અહીં એક બસ ખીણમાં પડી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, અકસ્માતમાં સાત લોકોનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જયારે આ અકસ્માતની ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આજે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ખાનગી બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી.






બસમાં 50થી વધુ મુસાફરો સવાર હતા. બસ નેશનલ હાઈવે 44 પર ઝજ્જર કોટલી પહોંચી ત્યારે બસે અચાનક કાબુ ગુમાવ્યો હતો અને ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં સાતથી વધુ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. આ ઉપરાંત 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જમ્મુ જિલ્લાનાં કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે આ અકસ્માત થયો હતો.






CRPF ઓફિસરએ જણાવ્યું કે, અમને સવારે દુર્ઘટનાની જાણકારી મળી. અમારી ટીમે અહીં પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. CRPF, પોલીસ અને અન્ય ટીમો પણ અહીં હાજર છે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જયારે આ બસમાં બસમાં બિહારનાં લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application