Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના મીરાનગરમાંથી ગુમ થયેલ 8 વર્ષીય બાળકીની માહિતી આપનારને 5 લાખનું ઈનામ

  • September 25, 2022 

ભરૂચ જિલ્લા પોલીસે પણ રુકસારની શોધમાં ચાર રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશ સહીત રેડ લાઈટ એરિયાથી લઈને અનેક સ્થળો ખુંદી નાખવા છતાં રુકસાર મળી ન હતી.અંકલેશ્વર મીરાનગરથી 8 મહિના પહેલા ગુમ થયેલી 9 વર્ષીય રુકસારની તપાસ કરી રહેલી સીબીઆઈએ માહિતી આપનારને 5 લાખના ઈનામની જાહેરાત કરી છે.આ અંગે ભરૂચ જિલ્લા પોલીસે પણ રુકસારની શોધમાં ચાર રાજ્યો,બે કેન્દ્રશાસિત પ્રદેશ સહીત રેડ લાઈટ એરિયાથી લઈને અનેક સ્થળો ખુંદી નાખવા છતાં રુકસાર મળી ન હતી. જેથી બે મહિના પહેલા પિતાની અરજીથી સમગ્ર તપાસ સી.બી.આઈને સોંપાઈ હતી.





આ અંગે ગત મહિને જ સીબીઆઈની ટીમે અંકલેશ્વર શહેરમાં આવી તપાસ કરી પરિવારના જવાબો લઈ ગઈ હતી. પરંતુ હજી સુધી રુકસારનો પત્તો નહિ લાગતા સી.બી. આઈએ એક પત્રિકા બનાવી રુકસાર અંગે સચોટ માહિતી અપનારને 5 લાખ આપવાની જાહેરાત કરી છે. જે અંગે સી.બી.આઈ ઓફિસ મુંબઈ દ્વારા 022-2757 6804 તેમજ ભરૂચ જિલ્લા કંટ્રોલ રૂમ 02642- 223303 તેમજ ડી.વાય.એસ.પી સી.બી.આઈ. એસ.સી.બી મુંબઈનો નંબર 9426767677 જારી કરવામા આવ્યો છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News