Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં ૦૫ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા,કુલ આંક ૬૬૩ થયો 

  • September 01, 2020 

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં સોમવારે નવા ૦૫ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૦૫ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં નાંદોદ ના ધારીખેડા ૦૨ , સિસોદ્રા ૦૨ અને ગરુડેશ્વર ના નવાગામ ૦૧ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૦૫ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

 

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૨ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટર માં ૨૫ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૬ દર્દીઓ દાખલ છે. આજે સાજા થયેલ ૧૪ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૮૫ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે .જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૬૩ પર પહોચ્યો છે. આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના વધુ ૩૭૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application