Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરજાંબલી ગામે લોહીની ઉલટીઓ થતા ૪૮ વર્ષીય શખ્સનું મોત

  • May 17, 2022 

સોનગઢના સરજાંબલી ગામના ચર્ચ ફળીયામાં રહેતો ૪૮ વર્ષીય જાલમસિંગભાઈ ચામડીયાભાઈ વસાવા ગત મોડીરાત્રીના અરસામાં પોતાના ખેતરમાં બનાવેલ ઘરની બહાર ખાટલો નાંખી પથારીમાં સુતા હતા તે દરમિયાન કોઈ અગમ્ય કારણસર અચાનક જાલમસિંગભાઈને લોહીની ઉલટીઓ થવા લગતા ઉલટી કરતા કરતા તેઓ તેમના ખેતરમાં જતા રહ્યા હતા. લોહીની ઉલટીઓ થવાના કારણે જાલમસિંગભાઈ વસાવાનું મોત નિપજ્યું હતું. બનાવ અને મૃતકની પત્ની સુરેખાબેન વસાવાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application