Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં એકપણ ગરબાનું આયોજન નહીં

  • September 22, 2020 

કોરોના મહામારી વચ્ચે તમામ ઉત્સવોનો રંગ ફીકો પડ્યો છે. જ્યાં હવે ગુજરાતની ઓળખ ગણાતા ગરબા પર પણ તેની અસર જોવા મળી છે. કોરોના મહામારી અંકલેશ્વરમાં વધી રહેલા સંક્ર્‌મણ વચ્ચે નોટિફાઈડ વિસ્તારમાં ચાલુ વર્ષે ગરબાનું મેગા આયોજન કે શેરી-સોસાયટી ગરબાનું આયોજન નહીં કરવાનું નિયત કરાયું છે. નોટિફાઈડ વિભાગ તેમજ એઆઈએ કમિટીના સભ્યો તેમજ જીઆઇડીસી ગરબા આયોજકો સાથે એક બેઠક યોજી હતી.


વર્તમાન સ્થિતિમાં નોટિફાઈડ વિસ્તારમાં તેમજ આજુ બાજુ વકરી રહેલા કોરોનાના કેસને લઇ ગરબા આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં તંત્ર છૂટછાટ સાથે ગરબા આયોજન માટેની જાહેરાત કરે તો પણ આ વર્ષે ગરબા આયોજન નહીં કરાય તેવો નીર્ધાર કરાયો હોવાનું ગરબા આયોજન રાજેશ દુધાતે જણાવ્યું હતું. જેમાં ચાલુ વર્ષે જીઆઇડીસીમાં ૪ જેટલા મોટા ગરબા આયોજકો પણ હામી ભરી કોરોના વધુ ના ફેલાય તેની તકેદારીરૂપે આયોજન માંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application