Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાનો કહેર યથાવત:બારડોલીમાં નવા 16 કેસ નોંધાયા, તેન ગામના આધેડનું મોત

  • September 12, 2020 

કાતિલ કોરોનાના કહેર વચ્ચે બારડોલીમાં આજે 16 કેસ નોંધાયા છે.

 

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.11મી સપ્ટેમ્બર નારોજ બારડોલીના તેન ગામના વિસ્તારમાં રહેતા 85 વર્ષીય આધેડનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે તાલુકામાં મૃત્યુ આંક 28 થયો છે. તેમજ વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે બારડોલીમાં કોરોનાનો કુલ આંક 886 પર પહોચી ચુક્યો છે.

 

જે પૈકી કુલ 661 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 197 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોનાના ટેસ્ટ માટે વધુ 250 સેમ્પલ લેવાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application