Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેડૂતોને કરજણ અને નમૅદા ડેમ ના પાણી ના પૂરથી ૪૦૦ હેકટર જમીન નો પાક નાશ પામ્યો

  • September 04, 2020 

નાંદોદ તાલુકાના ધાનપોર ગામની ૪૦૦ હેક્ટર જમીનમાં નમૅદા સરદાર સરોવર ડેમ ના પૂરના પાણી અને કરજણ ડેમ જળાશય યોજના ના પાણીના પૂરથી સૌથી વધારે નુકસાન ધાનપોર ગામના ખેડૂતોને આ પૂરથી થયું છે તૈયાર પાક નાશ પામ્યો છે તેમાં કેળ, શેરડી, પપૈયા, કપાસ, તુવેર, શાકભાજી અને અન્ય પાકો પૂરના કારણે ખેતરો ડુબી જવાથી નાશ પામ્યા છે.

 

ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે ખેડૂતોને પાકો નાશ પામતા ઘણુંજ મોટું નુક્સાન થયું છે ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ ગયા છે.લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને તેમની દયનીય હાલત થઈ ગઈ હોય ત્યારે સરકારે વહેલી તકે સહાય કરવાની જરૂર જણાઈ છે. મોંઘાદાટ બિયારણો અને ખાતર,દવા, મહા મહેનતે ઉછારેલા પાકો નાશ થતાં ખેડૂતોની અત્યંત દયનીય હાલત થઈ ગઈ છે કુદરતી આફતે ધાનપોર ગામના ખેડૂતોની કમર તોડી નાખી છે.સરકાર સત્વરે મદદરૂપ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News