Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણામાં યાર્નના વેપારી સાથે રૂપિયા ૪.૮૮ લાખની ઠગાઈ

  • September 03, 2020 

પુણા કેનાલ રોડ ટાઈમ ટ્રેડ સેન્ટરમાં વીર વર્ધમાન ટ્રેડીંગ કંપની અને આદીનાથ ટ્રેડીંગ કંપનીના ફર્મથી યાર્નનો ધંધો કરતા વેપારી પાસેથી ૪૫ દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ઉધના સોલાપુર કમ્પાઉન્ડમાં રૂદ્રા ટ્રેડીંગ કંપનીના પ્રોપાઈટરે યાર્નનો માલ ખરીદ્યા બાદ રૂપિયા ૪.૮૮ લાખ નહી ચુકવી ઉઘરાણી કરતા ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસમા નોધાઈ છે.

 

અલથાણ ગીરધર દ્વાર ખાતે રહેતા ૩૯ વર્ષીય મુકેશ શ્રીમહાવીર પ્રસાદ જૈન પુણા કેનાલ રોડ ટાઈમ ટ્રેડ સેન્ટર નામના કોમર્શીયલ બિલ્ડિંગમાં વીર વર્ધમાન ટ્રેડીંગ કંપની અને આદીનાથ ટ્રેડીંગ કંપનીના નામે યાર્નની ઓફિસ ધરાવે છે. મુકેશ પાણીપત હરીયાણાથી યાર્નનો માલ લાવી ધંધો કરે છે. મુકેશ જૈન પાસેથી ગત તા. ૩૧મી ઓગસ્ટ ૨૦૧૮થી ૧૮ મે ૨૦૧૯ના સમયગાળામાં ઉધના સોલાપુર કમ્પાઉન્ડ ખાતે રૂદ્રા ટ્રેડીંગ કંપનીના પ્રોપાઈટર સંજયકુમાર બછુપ્રતાપ સિંઘે ૪૫ દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી રૂ. ૪.૮૮ લાખનો યાર્નનો માલ ખરીદ્યો હતો નક્કી કરેલ સમય મર્યાદા પુરી છવા છતાંયે સંજયકુમારે પેમેન્ટ નહી ચુકવતા મુકેશ જૈન દ્વારા ઉઘરાણી શરુ કરતા સંજયકુમારે સિંઘ રૂપિયા મળશે નહી હોવાનુ કહી ગાળાગાળી કરી ધમકી આપી હતી. પોલીસે મુકેશ જૈનની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application