Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં કોરોના કહેર વધ્યો: વધુ ૧૪ કેસ સાથે જિલ્લાનો કુલ આંક ૬૧૬ થયો

  • August 26, 2020 

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં મંગળવારે નવા ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. આરોગ્ય વિભાગ ના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં મંગળવારે ૧૪ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

 

જેમાં રાજપીપળાના છત્રવિલાસ-૦૨,આદિત્ય-૦૧ અને પંચવટી સોસા.૦૧ જ્યારે નાંદોદ તાલુકાના ધમણાચા ગામમાં- ૦૫,નિકોલી-૦૧ અને ધારીખેડા-૦૧,ગરુડેશ્વર ના કેવડિયા કોલોની-૦૧,તિલકવાડા-૦૧ તેમન સાગબારા ના સેલંબામાં-૦૧ કેસ સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૪ દર્દી પોઝિટિવ નોંધાયા છે.

 

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૩ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૨૭ દર્દીઓ દાખલ છે. આજે ૦૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૫૪૨ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૬૧૬ પર પહોચ્યો છે.આજે વધુ ૪૬૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News