Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા ડેમના 23 ગેટ ખોલી નદીમાં 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી છોડાયું

  • August 30, 2020 

નર્મદા ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે શુક્રવારે ડેમના 30 પેકી 10 દરવાજા ખોલ્યાં બાદ આજે વધુ 13 દરવાજા ખોલાયા છે. આમ ડેમના કુલ 23 દરવાજામાંથી નયનરમ્ય ધોધ સ્વરૂપે 3 લાખ 65 હજાર લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે.

 

સાંજે 6 વાગે ડેમની સપાટી 131.25 મીટરે પોહચી છે. કાંઠા વિસ્તારના વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામો ને સાવધ કરી દેવાયા છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 5 લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમમાં છોડવામાં આવ્યું છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. 23 ગેટ માંથી 3 લાખ 65 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાય રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.25 મીટર પર પહોંચી છે.

 

વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  હાલ ભરૂચ ના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 17 ફૂટે પોહચી છે. વૉર્નિંગ લેવલ 22 ફૂટ છે.જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવનાર છે ત્યારે ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામડા ઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News