Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ૩ માસ માટે મફત ગેસ સિલિન્ડર મળશે.

  • April 18, 2020 

Tapi mitra News-ભારત સરકારે આગામી ત્રણ મહિના માટે એટલે કે એપ્રિલ થી જુન-૨૦૨૦ સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ગ્રાહકો માટે પ્રતિમાસ 1 મફત ગેસ સિલિન્ડર આપવાનું જાહેર કર્યું છે.હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસના કારણે ભારત સરકાર દ્વારા લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે સરકારે સંવેદનશીલ નિર્ણય લઇ તાત્કાલિક યોજનાનો અમલ શરૂ કરી દીધો છે. આ યોજનામાં ઓઈલ માર્કેટીંગ કંપની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં અગાઉથી ૧૪.૨ કિ.ગ્રા.રીફિલની જે કિંમત હોય તેટલા જ નાણાં અગાઉથી બેંક ખાતામાં જમા કરશે.ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસર અને મામલતદાર શ્રી પ્રતિકકુમાર પટેલે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કુલ ૧૯,૫૩૬ લાભાર્થીઓ પૈકી ૩,૯૬૨  લાભાર્થીઓને ગેસ રીફિલ વિતરણ કરવામાં આવેલ છે. તમામ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવાનું શરૂ થઇ ગયું છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓએ અગાઉથી જમા થયેલ નાણાં ગેસના બોટલ માટે જમા રાખવાના રહેશે. પ્રથમ વખત મેળવેલ ગેસ સિલિન્ડરના ૧૫ દિવસ બાદ જ બીજા ગેસ સિલિન્ડર માટે બુકિંગ કરી શકશે. તથા પ્રથમ માસમાં બોટલ નહીં લેવામાં આવે તો અગાઉ જમા થયેલ પૈસામાંથી જ બોટલ મળશે. તેના માટે ફરી પૈસા જમા નહીં થાય. જો લાભાર્થી આ ત્રણ માસમાં ગેસ સિલિન્ડર રીફિલ ન કરાવે તો ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી લાભ મેળવી શકશે. આ અંગે ડાંગ જિલ્લા લીડબેંક મેનેજરશ્રી રાજેન્દ્રભાઇ પટેલ સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના લીંક થયેલ બેંક ખાતામાં ગેસ સિલિન્ડરના હાલના ભાવ મુજબ પૈસા જમા કરવામાં આવી રહયા છે. પરંતું ગ્રાહકોનું બેંક એકાઉન્ટ ચાલુ હોવુ જોઇએ. તેમજ કે.વાય.સી. કરવાનું બાકી ન હોવું જોઇએ. ડાંગ જિલ્લાના દરેક ગૃપ ગ્રામ પંચાયતના વી.સી.ઈ.દ્વારા ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયેલ છે કે કેમ તે જાણી શકાય છે. માટે આ યોજનાના લાભાર્થીઓએ જિલ્લા મથક આહવા કે પોતાના તાલુકા મથક સુધી આવવાની જરૂર નથી. ગેસ રીફિલ માટે પોતાના રજીસ્ટર્ડ મોબાઇલથી બુકિંગ કરાવવાનું રહેશે. ગ્રાહકો ગભરાય નહીં અને લોકડાઉનના સમય ગાળા માટે કોર્પોરેશનની એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશીપમાં ગેસ સિલિન્ડરનો પુરતો જથ્થો છે.તકેદારીના ભાગરૂપે ચલણી નોટોનું બિનજરૂરી સંચાલન ટાળી ડિજીટલ ચુકવણીનો આગ્રહ રાખવો હિતાવહ છે.ધવલીદોડના ઉજ્જવલા યોજનાના લાભાર્થી શ્રીમતિ તેરૂબેન એ બંગાળે જણાવ્યું હતું કે અમને આ યોજનાનો લાભ મળ્યો છે. લોકડાઉનના આ સમયમાં અમારી પાસે પૈસા ન હતા પરંતુ સરકારે મારા બેંક ખાતામાં અગાઉથી જ ગેસ સિલિન્ડરના પૈસા જમા કરાવી દીધા છે. સરકારે અમારી ચિંતા કરી જ છે. અમને ખૂબ આનંદ છે. તાપીમિત્ર ન્યુઝ,તમામ લોકોને અપીલ કરે છે કેબીનજરૂરી ઘરની બહાર ન નીકળો, સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહ અને સુચનોનું પાલન કરી સહકાર આપો.સાવચેત રહો - સતર્ક રહો - સુરક્ષિત રહો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application