Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતીય રેલ્વેના ૧૭૧માં જન્મદિનની મણીનગર રેલ્વે સ્ટેશન બહાર ભવ્ય ઉજવણી કરવામાં આવી

  • April 17, 2024 

રેલ્વે ભારતના અર્થતંત્ર માટે કરોડરજ્જુ સન્માન છે, આજના સમયમાં રેલ્વે એક સ્થળે થી બીજા સ્થળે જવા અનિવાર્ય સાધન પુરવાર થયું છે, રેલ્વે ની સુવિધા ના કારણે નાગરિકો આરામદાયક અને સલામત મુસાફરી કરી શકે છે અને માલસામાન ની પણ હેરફેર થાય છે. ૧૬મી એપ્રિલ ૧૮૫૩ ના રોજ સર્વ પ્રથમ રેલ્વે ટ્રેન મુંબઈ થી બોરીબંદર થાણા થી શરૂ થઈ હતી ભારતના રેલ્વે શરૂ થયાના ૧૭૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.


ત્યારે મણીનગર રેલ્વે સ્ટેશનની બહાર મણીનગર ખાતે ઓલ ગુજરાત રેલ્વે પેસેન્જર એસોસિયેશનના પ્રમુખ જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ તારીખ ૧૬ એપ્રિલ ૨૦૨૪ ને મંગળવારે સાંજે ૫ : ૩૦ કલાકે  કેક કાપી, પ્રવાસીઓ ને પુષ્પગુચ્છ થી સ્વાગત કરી મીઠાઈ-કેક ખવડાવી અને ફટાકડા ફોડી આતિશબાજી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય ઉજવણી કાર્યક્રમમાં મણીનગર ખાતે જ્યોર્જ ડાયસ, પ્રભાતસિંહ રાજપુત, સંતોશ સોની, અજય કહાર, સુરેન્દ્રસિંહ ક્ષત્રિય, દુરઈ સ્વામી ગ્રામીણ, સંદીપ યાદવ, મહેન્દ્ર બીજવા, ભદ્રેશ મેકવાન,અરુણ પવાર, અરવિંદ પટેલ,પાર્થ કોસ્ટી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application