Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ ઉપર ઠંડુ પાણી નાખી લાકડાથી ફટકારતા વિવાદ

  • February 01, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:વલસાડ જિલ્લાની સોનવાડા આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીઓને માર મારતા વિવાદ થયો છે.ધરમપુરના હનમતમાળ સહિતના ગામોના 36 થી વધુ બાળકોને માર મરાયા છે.આ અંગે સુત્રો પાસેથી મળતી વિગત મુજબ હળપતિ સેવા સંઘ સંચાલિત આશ્રમ શાળામાં એક રૂમમાં કોઈ વિદ્યાર્થીએ શૌચ કરી જતા બાલકૃષ્ણ ટંડેલ નામના શિક્ષકે સવારે તમામ વિદ્યાર્થીઓ પર ઠંડુ પાણી નાખી લાકડાથી માર માર્યો હતો.દરમિયાન વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે,રોજ રાત્રે 9:00 વાગ્યા પછી તેમના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેવામાં આવે છે.આ ઘટના બાદ વાલીઓમાં રોષ છે.તેમણે શિક્ષક સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application