Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીમારીથી કંટાળી બે જણાએ પોતાનું જીવન ટુંકાવ્યું

  • June 09, 2022 

સુરતનાં વરાછાની એક મહિલાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું હતું જોકે તેઓ 14 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોવાથી તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી હતી જયારે અન્ય એક બનાવમાં લિવરની બીમારીથી પીડાતા અલથાણના આધેડે ફાંસો ખાધો હતો. આધેડે બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વરાછા વિવેકાનંદ સોસાયટી ખાતે રહેતા કાંતીભાઈ વરીયા હીરાના કારખાનામાં કામ કરે છે અને તેમની પત્ની રેખાબેન (ઉ.વ.45) છેલ્લા 14 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલતી રહી હતી.



જોકે સતત દવાઓ લેવાની સાથે તેમનું શરીર પણ વધી ગયુ હતું અને કામ થતું ન હતું. જેથી માનસિક બીમારીથી કંટાળીને રેખાબેને સવારે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.



જયારે આપઘાતના અન્ય બનાવમાં અલથાણ એસએમસી આવાસ ખાતે રહેતા સુનિલભાઈ સુપડુભાઈ કોલે (ઉ.વ.50) ઘર નજીક આશિર્વાદ બંગલોમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. દારૂ પીવાની કુટેવના કારણે તેમને લિવરની બીમારી થઈ હતી. જેથી તેમને સારવાર માટે 15 દિવસ પહેલા સિવિલમાં દાખલ પણ કરાયા હતા. તે દરમિયાન મોડી રાત્રે તેમણે દારૂનાં નશામાં બીમારીથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application