હિંમતનગર શામળાજી હાઈવે પર એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. હાઈવેના નવીનીકરણ કામગીરી ચાલી રહી ત્યાં ઘટના બની છે. કન્ટેનરની ટક્કરે રિક્ષા ખાડામાં પડી જતા રિક્ષામાં બેઠેલા બે લોકોનાં મોત થયા હતા જ્યારે એક વ્યક્તિની ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, હાલમાં હિંમતનગર શામળાજી હાઈવેની નવીનીકરણ કામગીરી ચાલી રહી છે. ત્યારે એક કન્ટેનરે રિક્ષાને ટક્કર મારી હતી. કન્ટેનરની ટક્કરે રિક્ષા હાઈવે પર પાણીની લાઈન માટે ઊભા કરવામાં આવેલા સળિયા પર પલટી ખાઈ ગઈ હતી. જેથી રિક્ષામાં સવાર બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ભારે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application