Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીવંત વીજ વાયર અડી જતાં કામદારનું કરંટ લાગતાં મોત

  • June 07, 2022 

પલસાણા તાલુકાન તાંતીથૈયાની એક મિલમાં કામ કરતા કામદાર કાપડ ભરેલી લારીને ધક્કો મારી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ રહ્યો હતો તે દરમિયાન નીચેથી પસાર થતા વીજ વાયર કચડાઈ જતા કરંટ લાગવાથી કામદારનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, પલસાણાની તાંતીથૈયા ખાતે આવેલ દુર્ગા પ્રોસેસ નામની મીલમાં પોલિસ્ટર ખાતામાં કામકાજ કરતા ધનરાજભાઈ સદાશિવભાઈ ચૌહાણ (ઉ.વ.49) નાઓ રવિવારે બપોરના સમયમાં ખાતામાં કામકાજ દરમિયાન કાપડ ભરેલી લારી ખસેડી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ રહ્યા હતા.



તે દરમિયાન લારી નીચે નજીક મુકેલા ટેબલ ફેનનો વાયર લારી નીચે કચડાઈ જવાથી લોખંડની લારીમાં વિજકરંટ પ્રસરી જવાના કારણે ધનરાજભાઈને હાથમાં ઝટકા સાથે કરંટ લાગવાના કારણે ધનરાજભાઈ નજીક માં સાઈડના પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા મિલના ઇન્ચાર્જ વિક્રમકુમાર ધનરાજભાઈને નજીકની સંજીવની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે ધનરાજ ચૌહાણને મૃત જાહેર કરતા કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application