સુરત જિલ્લાનાં માંગરોળનાં આસોદલા ગામના ચાર રસ્તા પર બે ઇસમોએ યુવકને તળાવમાંથી પાણી લેવાના મામલે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, માંગરોળના આસોદલા ગામ ખાતે તળાવ ફળિયામાં રહેતા ૨૫ વર્ષીય દિલીપભાઈ કાલીદાસભાઈ વસાવા આસોદલા ચાર રસ્તા પાસે હાજર હતા.
તે દરમિયાન ચંદુભાઈ શંકરભાઈ વસાવા અને કમલેશભાઈ ચંદુભાઈ વસાવાએ દિલીપભાઈ પાસે આવી તળાવમાંથી પાણી લેવા બાબતે ઉશ્કેરાઈ જઈ અશબ્દો કહીને દીલીપભાઈને ઢીકામુક્કીનો માર માર્યો હતો. ચંદુભાઈએ લાકડીના ફટકા વડે દિલીપભાઈના માથાના ભાગે ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના અંગે દિલીપભાઈ દ્વારા કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા કોસંબા પોલીસે ચંદુભાઈ શંકરભાઈ વસાવા અને કમલેશભાઈ ચંદુભાઈ વસાવા (બંને રહે.તળાવ ફળિયું,આસોદલા ગામ, માંગરોળ)વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application