Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેડિયાપાડાનાં એક ગામે પરણિતાની હત્યા થતાં ચકચાર મચી

  • April 18, 2025 

નર્મદાનાં દેડિયાપાડા તાલુકાનાં પોપલોદ ગામે આધેડ પરણિતાનું કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હત્યા કરતાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, બનાવની વિગત એવી છે કે, તારીખ ૧૫થી તા.૧૬ એપ્રિલના સમય ગાળા દરમ્યાન રમીલાબેન મોતીસીંગ વસાવા (ઉ.વ.૪૮., રહે.એકાણુ ફળીયુ. પીપલોદ)ને તેમના ઘરમાં અથવા ઘરની બહારના ભાગે કોઈ અજાણ્યા ઈસમે ઇજાઓ કરી અથવા તો ગળું દબાવી મોત નીપજાવી હતું. રમીલાબેન વસાવાનું સરકારી સિવિલ હોસ્પિટલ દેડિયાપાડા ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી માલુમ પડશે કે તેમનું મોત અજાણ્યા ઈસમ દ્વારા કેવી રીતે કરવામાં આવ્યું હતું. દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application