Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : બંધ મકાનનાં તાળા તોડી અજાણ્યા તસ્કરો દાગીના લઈ ફરાર

  • March 14, 2023 

ભરૂચનાં હાંસોટ તાલુકાનાં ખરચ ગામમાં વિઘવાનાં બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો 13 હજારનાં સોના-ચાંદીનાં દાગીના લઈ અજાણ્યા તસ્કરો ફરાર થયા હતા. બનાવની વુગ્ત એવી છે કે, હાંસોટ તાલુકાનાં ખરચ ગામે આવેલ સૂર્યકિરણ સોસાયટીનાં મકાન નંબર-120માં રહેતા હેમલતા પરમાર પોતાના પતિના મૃત્યુ બાદ પોતાના છોકરાને ત્યાં રહેતા હતા. ગત સવારે તેમને ફોન આવેલ કે, તમારા ઘરના તાળા તૂટેલા છે. આથી હેમલતા પોતાના ઘરે તપાસ કરતાં કબાટ તૂટેલો હતો અને તેમાંથી સોના ચાંદીના દાગીના ચોરી ગયાનું માલમ પડયું હતું. બનાવ અંગે તેમણે હાંસોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આમ, પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application