Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદાનાં પાણીખડક ગામનાં યુવકે હોસ્પિટલનાં ત્રીજા માળેથી કુદી જીવન ટુંકાવ્યું

  • June 28, 2024 

ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે દાખલ કરવામાં આવેલા વાંસદાનાં પાણીખડક ગામનાં યુવકે હોસ્પિટલનાં ત્રીજા માળે આવેલ બાથરૂમની બારીના કાચ તોડી પડતું મૂકી, જીવતર ટૂંકાવી લીધું હતું. ઘટના બાબતની ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં પાણીખડક ગામના પટેલ ફળિયામાં રહેતા શાંતિલાલ બાબુભાઈ પટેલ બ્લડ કેન્સરની બીમારીથી પીડાતા હતા.


ગત તારીખ 17/06/2024નાં રોજ તેને ઝાડા-ઊલટી થતા તેમને સારવાર માટે ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર આવ્યા હતા. તેમની દેખરેખ માટે પ્રિયાંકભાઈ જોડે હતા. જયારે સાંજે સવા ચાર વાગ્યાના સમયે શાંતિલાલે પ્રિયાંકને તેમણે બાથરૂમ જવું છે, એમ જણાવી તેને બાથરૂમની બહાર ઊભા રહેવા માટે જણાવ્યું હતું. જે બાદ અચાનક જ કાચ તૂટવાનો અવાજ આવતા અને સાથે હોસ્પિટલના ભોંયતળિયે બૂમાબૂમ થતા પ્રિયાંક હોસ્પિટલમાં હોસ્પિટલના ભોંયતળિયે દોડી ગયો હતો.


જ્યાં શાંતિલાલ પટેલ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલના કર્મચારીઓ સહિતના દાખલ કરવામાં સ્થાનિક રહીશો ભેગા થઈ ગયા હતા. ભોંયતળિયે પટકાયેલા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત શાંતિલાલને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના પગલે મૃતકના પરિજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ઘટના બાબતની ફરિયાદ ધરમપુર પોલીસ મથકમાં નોંધાતા, પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application