ભાવનગરના બોટાદનાં સાલૈયા ગામે રહેતા યુવક બાઈક લઈને સાલૈયાથી બોટાદ જતા હતા તેવામાં નાગલપર ગામથી આગળ અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતા યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની એવી છે કે, બોટાદના સાલૈયા ગામે રહેતા અને કડિયાકામ અને ખેતીની કામગીરી કરતા ભરતભાઈ પ્રેમજીભાઈ કિહાલા (ઉ.વ.૩૮) સાલૈયાથી તેમનું બાઈક નંબર જીજે/૦૧/સીએમ/૨૫૯૨ લઇ બોટાદ જતા હતા.
ત્યારે રસ્તામાં નાગલપર ગામથી આગળ બોટાદ તરફ રોડ ઉપર જુની હનુમાનજીની મઢી પાસે સામેથી એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી માણસની જીંદગી જોખમાય તેમ ચલાવી ભરતભાઈની બાઈક સાથે અથડાવી દેતા ભરતભાઈને ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના નાનાભાઈ અલ્પેશભાઈ પ્રેમજીભાઈ કિહાલાએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application