Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પત્નીએ જૈન દીક્ષા લેવાનો નિર્ણય કર્યો, પતિએ કરોડોની સંપત્તિ દાન કરી દીધી

  • April 14, 2024 

હાલ ગુજરાતના સાબરકાંઠાનો ભંડારી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના રહેવાસી ભાવેશ ભંડારી અને તેમના પત્ની જીનલ ભંડારીએ જૈન દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ભાવેશ ભંડારીએ પોતાની કરોડોની સંપત્તિ દાન કરી દીધી છે. તેમણે સાંસારિક મોહ ત્યજીને સંયમના માર્ગે નીકળવાનું નક્કી કર્યું છે.  ભંડારી પરિવાર પહેલાથી જ ધાર્મિક હતો. તેઓ પહેલાથી જ જૈન સમાજના સંતોના સત્સંગમાં રહેતો હતો. તેથી સૌથી પહેલા વર્ષ 2022 ના વર્ષમાં ભાવેશ ભંડારીના 16 વર્ષીય દીકરા અને 19 વર્ષની દીકરીએ દીક્ષા લીધી હતી.


બંનેએ બે વર્ષ પહેલા સાંસારિક જીવન ત્યજી દીધું હતું. આખરે વર્ષ 2024 માં ભાવેશભાઈ અને તેમની પત્નીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.  આ માટે ભાવેશ ભંડારીએ સાંસારિક મોહમાયાથી અંતર બનાવી લીધું છે. તેઓએ પોતાની અંદાજિત 200 કરોડથી વધુની સંપત્તિ ત્યજીને દાન આપી દીધી છે. તેમણે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા હતા.  સંન્યાસી બનવા જઈ રહેલા ભાવેશ ભંડારી અને તેમની પત્ની જીનલ ભંડારીની ભવ્ય શોભાયાત્રા હિંમતનગરના રસ્તાઓ પર નીકળી હતી. અંદાજે ચાર કિલોમીટર લાંબી શોભાયાત્રામાં તેઓએ નીકળ્યા હતા.   ભાવેશ ભંડારી અને તેમના પત્ની જીનલ ભંડારી આગામી 22 એપ્રિલના રોજ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યાં છે. 22 એપ્રિલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર દીક્ષા સમારોહમાં ભાવેશ ભંડારી, જીનલ ભંડારી સહિત 36 વ્યક્તિઓ દીક્ષા ગ્રહણ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application