Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનને પાર,રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર આવવાની શક્યતા

  • July 11, 2023 

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂર આવવાની શક્યતા છે. દિલ્હી સરકારે તમામ સરકારી શાળાઓમાં નર્સરીથી 5મા ધોરણ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. અવિરત વરસાદ વચ્ચે હરિયાણા દ્વારા હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને કારણે દિલ્હીમાં યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે.



દિલ્હીના ઓલ્ડ રેલવે બ્રિજ વિસ્તારમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર થઇ ગયું છે. બ્રિજ પર રેલ્વે અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જૂના રેલ્વે બ્રિજ પર આજે સવારે 8 વાગ્યે યમુના નદીનું જળસ્તર 206.32 મીટર નોંધાયું હતું. યમુના નદીનું જળ સ્તર 207.49 મીટર ઉપર જશે તો પૂરની સ્થિતિ બની શકે છે.હાલમાં હરિયાણાના હથિની કુંડમાંથી 3.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે ઝડપથી દિલ્હી તરફ આગળ વધી રહ્યું છે. યમુનાનું જળસ્તર વધવાને કારણે દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News