Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં પત્નીના ત્રાસથી કંટાળી જઈ પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

  • June 19, 2021 

વ્યારાના વિરપુર ગામે પત્નીના ત્રાસથી કંટાળી જઈ પતિએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ વ્યારા પોલીસ મથકે નોંધાયો છે.જોકે ફરિયાદના આધારે પોલીસે મૃતકની પત્ની સામે ગુનો દાખલ કરી તપાસ શરુ છે.

 

 

 

મહેશભાઈના ગળામાંથી ફાંસો ખાધેલ દોરડું છોડી નીચે ઉતારેલો અને સારવાર માટે નહી લઇ જઈ ઘરમાં સુવડાવેલો 

મળતી માહિતી મુજબ, વ્યારાના વિરપુર ગામના પુલ ફળિયામાં રહેતા મહેશભાઈ પ્રભુભાઈ ગામીત (ઉ.વ.૪૦) નાઓ જે પોતાની પત્ની શર્મીલાબેન ગામીત સાથે રહેતા હતા. પરંતુ શર્મીલાબેન મહેશભાઈ સાથે અવર-નવાર ઝઘડો કરી માનસિક રીતે હેરાન પરેશાન કરી મહેશભાઈને ત્રાસ આપતા હોય જેથી પત્નીના ત્રાસથી કંટાળી જઈ મહેશભાઈએ શુક્રવારે સાંજે પોતાના ઘરનાં આડિયામાં દોરડા વડે ગળે ફાંસો બનાવી પોતાના ગળામાં બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલ.જોકે ત્યારબાદ તેમની પત્નીએ મહેશભાઈના ગળામાંથી ફાંસો ખાધેલ દોરડું છોડી નીચે ઉતારેલો અને સારવાર માટે નહી લઇ જઈ ઘરમાં સુવડાવેલો અને ફરીવાર તેમની પત્ની શર્મિલાબેન નાઓ ઉઠાડવા કોશિશ કરતા ઉઠેલ ન હોય મહેશભાઈ મોતને ભેટ્યા હતા.

 

 

 

 

બનાવ અંગે વિપુલભાઈ ચૌધરીએ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે શર્મીલાબેન વિરુદ્ધ ઈપીકો કલમ ૩૦૬,૩૨૩,જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application