ઝઘડિયા તાલુકાનાં અશા ગામે રહેતા પ્રવીણભાઈ અંબાલાલ માછી જેઓ તેમના પરિવાર સાથે રહી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે પ્રવીણ માછી બપોર બાદ મજૂરી કામ અર્થે ગયા હતા. સાંજે પાણેથા અશા ગામ વચ્ચેથી પસાર થતી કરજણ કેનાલથી અશા તરફ આવતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પ્રવીણભાઈને અડફેટે લીધા હતા. આ અકસ્માત દરમિયાન પ્રવીણભાઈને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રવીણભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા પ્રાથમિક સારવાર અર્થે સરકારી દવાખાને લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રવીણભાઈને મરણ જાહેર કર્યા હતા. અજાણ્યા ઈસમે પ્રવીણભાઈને ટક્કર મારી અકસ્માત સર્જી મોત નિપજતા તેમના દીકરા કિશોરે ઉમલ્લા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application