રાજપીપળાનાં સોનીવાડમાં આવેલ વાઘેશ્વરી માતાનાં મંદિર સામેની ગલીમાં એક ત્રણ માળનું મકાન રવિવારે રાત્રે અચાનક તૂટી પડતા સામે આંગણામાં મુકેલ તેમની હોન્ડા બાઈકનો ખુરદો બોલી ગયો હતો. જયારે પાણીની લાઈન, કેબલ લાઇન તૂટી ગઈ હતી. જોકે સામે રહેતા પ્રણવ મકવાણાએ આંગણામાં મૂકેલી તેમની બાઈક મકાન તૂટતા કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.
પ્રણવભાઈને અણસાર આવતા તેઓ તેમની બાઇક હટાવવા જતા હતા. ત્યારે તેમની દીકરી પણ સાથે હતી. પરંતુ અચાનક મકાન તૂટતા તેઓ તેમની દીકરી સાથે ઘરમાં જતા રહેતા બંનેનો આબાદ બચાવ થયો હતો. જોકે તૂટી પડેલા આ બંને મકાનના માલિકો છેલ્લા લગભગ વીસેક વર્ષથી રાજપીપળાની બહાર રહે છે. ત્યારે મકાન માલિકને આ બાબતની જાણ કરી છે અને રાજપીપળા પોલીસ પણ ઘટના સ્થળે આવી નિરીક્ષણ કરી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application