Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડિંડોલીમાં કબીરપંથી પરિવારના મકાનમાંથી રૂપિયા ૫૬ હજારના મતાની ચોરી

  • January 01, 2021 

ડિંડોલી પ્રિયંકાનગર સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રોકડા ૪૫ હજાર, લેપટોપ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૫૬ હજારના મતાની ચોરી કરી નાસી ગયા હતા.

 

 

ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ ડિંડોલી સી.આર.પાટીલ રોડ માનસી રેસીડેન્સીની સામે પ્રિયંકાનગર સોસાયટીમાં રહેતા સંદિપકુમાર શિયાચરણ કબીરપંથીના મકાનમાં મંગળવારે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોઍ  સંદિપકુમારના ઘરના નીચેના ભાગે આવેલ લોખંડની ગ્રીલ ખોલી મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસ્યા હતા. ઍ મોબાઈલ, લેપટોપ તેમજ રોકડા ૪૫ હજાર મળી કુલ રૂપિયા ૫૬ હજારના મતાની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે સંદિપકુમારની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application