Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લાનાં મહેસુલ વિભાગમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 24 નાયબ મામલતદારોની રાજ્ય સરકારે સામુહિક બદલીનાં હુકમ કર્યા

  • July 15, 2023 

નર્મદા જિલ્લાનાં મહેસુલ વિભાગમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 24 નાયબ મામલતદારોની રાજ્ય સરકારે સામુહિક બદલીનાં હુકમ કર્યા છે. જિલ્લા મહેસુલ વિભાગમાં સોપો પડી જવા પામ્યો છે તો 24ની બદલી સામે એક નાયબ મામલતદારની નર્મદા જિલ્લામાં બદલીનો હુકમ થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાનાં પણ 24 નાયબ મામલતદારોની સાગમટે બદલી થતાં મહેસુલ કચેરીઓમાં સોપો પડી જવા પામ્યો છે. જયારે વધુમાં 24ની જિલ્લાફેર બદલી સામે માત્ર એક જ નાયબ મામલતદારની અન્ય જિલ્લામાંથી નર્મદામાં બદલી થઇ છે.



આ બદલીઓને કારણે નર્મદા જિલ્લામાં નાયબ મામલતદારોનાં મહેકમમાં 54 જગ્યાઓ ખાલી રહેશે. એટલે કે, 54 નાયબ મામલતદારોની ઘટને કારણે રોજબરોજનાં કામકાજ પર વિપરીત અસર પડશે અને લોકોને તેમના મહેસુલ વિભાગના કામકાજ અંગે ધક્કા ખાવા પડશે. આ સામુહિક બદલીઓને કારણે કલેક્ટર કચેરીમાં જ 7 નાયબ મામલતદારની જગ્યા ખાલી રહેશે. ખુદ કલેક્ટરનાં પી.એ.ની પણ જિલ્લા બહાર બદલી થઇ છે. જ્યારે નાંદોદ મામલતદાર કચેરીમાં ચાર નાયબ મામલતદારની બદલી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application