Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકારે દેશી ચણા પરથી આયાત ડ્યૂટી દૂર કરી માર્ચ 2025 સુધી ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી

  • May 04, 2024 

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદી હોવાની જાહેરાત કરી હતી. જ્યારે દેશી ચણાની આયાત પર 31 માર્ચ, 2025 સુધી કોઈ ડ્યૂટી લાગૂ નહિં થાય. હાલમાં જ સરકારે ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધો દૂર કરી ખેડૂતોને રાહત આપી હતી. પરંતુ ડ્યૂટીમાં વધારો કરતાં નિકાસકારોની કમાણી ઘટશે. વધુમાં પીળા વટાણાની આયાત 31 ઓક્ટોબર, 2024 સુધી ડ્યૂટી ફ્રી રહેશે. નોટિફિકેશન જારી કરી નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આ ફેરફારો તારીખ 4 મે’થી લાગૂ થશે.


હાલમાં જ કેન્દ્ર સરકારે 6  પાડોશી દેશો UAE, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન, બહેરિન, મોરેશિયસ સહિતના 6 પાડોશી દેશોમાં 1 લાખ ટન ડુંગળી નિકાસ કરવા મંજૂરી આપી છે. ગતવર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા ડ્યુટી લાદી હતી. ચણાનું વાવેતર ઘટતાં કેન્દ્ર સરકારે દેશી ચણા પરથી આયાત ડ્યૂટી દૂર કરી 31 માર્ચ, 2025 સુધી ડ્યુટી ફ્રી આયાતને મંજૂરી આપી છે. ગત મહિને ચણાની કિંમત 10 ટકા વધી રૂ.6300 ક્વિન્ટલ થઈ હતી. જે અગાઉ ફેબ્રુઆરીમાં રૂ.5700 પ્રતિ ક્વિન્ટલ હતી. ટ્રેડર્સે જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયામાંથી દેશી ચણાની આયાત થાય છે. સરકાર મુખ્ય ખાદ્ય ચીજોના પાક અને કિંમત પર સતત દેખરેખ રાખી આયાત-નિકાસના નિર્ણયો લઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application