Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણીને અનુલક્ષીને ખેડૂત જાગૃતતા કાર્યક્રમ યોજાયો

  • June 10, 2021 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિ. દ્વારા સંચાલિત તાપી જિલ્લાનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણીને અનુલક્ષીને ખેડૂત જાગૃતતા કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ 44 ખેડૂતોએ ભાગ લીધો હતો.

 

 

 

 

આ કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે, પર્યાવરણમાં આવતા અસંતુલનને કારણે સ્વાસ્થ્ય તેમજ કૃષિ ક્ષેત્રે માઠી અસર જોવા મળે છે. તેમજ વધુમાં ખેડૂતોને પર્યાવરણનું જતન કરવા અને વધુ વ્રુક્ષો વાવવા માટેની પ્રેણના પણ આપી હતી. પર્યાવરણની અસંતુલીતતાની માનવ સ્વાસ્થ્ય પર થતી અસરો તેમજ સરગવાના વ્રુક્ષને દરેક ઘરે વાવી જતન કરવા તેમજ સરગવાના માનવ સ્વાસ્થયને થતા ફાયદો સમજાવ્યા હતા. (ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application