Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા રામકથામાં કેવટ પ્રસંગે કોરોના વોરીયર્સનું સન્માન કરાયું

  • September 27, 2021 

વ્યારા નગરમાં સિનિયર સિટીઝન હોલમાં મનોકામેશ્વર સ્મશાન ભૂમિના લાભાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લની 810મી રામકથામાં ગતરોજ કેવટ પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. આ પસંગે રામાયણના છઠ્ઠા દિવસનો દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. કેવટ પ્રસંગની કથાનું વર્ણન કરતા કથાકાર પ્રફુલભાઇ શુક્લએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નિષ્કામ ભક્તિ ની આગળ ભગવાને પણ માંગવું પડતું હોય છે, જ્યારથી માનવીઓમાં માંગવાનું પ્રમાણ વધ્યું છે ત્યારથી ભક્તિના તેજ ઝાંખા પડ્યા છે. રામાયણમાં કેવટ એ નિષ્કામ ભક્તિના આચાર્ય છે. આખી દુનિયા રામ પાસે માંગે છે જ્યારે ભગવાન રામ કેવટ પાસે હોડી માંગે છે. ઋષિમુનિઓ પણ જેનો મર્મના જાણી શક્યા એ ભગવાન રાઘવેન્દ્ર સરકારના મર્મને જાણી જનાર પાત્ર એ રામાયણમાં કેવટ છે.

 

 

 

 

 

ભાગવતમાં સુદામા અને રામાયણમાં જો કેવટના હોય તો આ બંને ગ્રંથો અધૂરા ગણાયા હોત ગતરોજ  કથામાં કેવટ પ્રસંગ ધ્યાનમાં લઈ કથાકાર પ્રફુલભાઇ શુકલના હસ્તે વ્યાસપીઠ પરથી 34 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. રામાયણના કેવટ પ્રસંગનું સુંદર દ્રશ્ય નાના બાળકો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application