Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડામાં વેક્સીનેશન જાગૃકતા માટે જનજાગૃતિ રથને લીલી ઝંડી અપાઈ

  • June 19, 2021 

કુકરમુંડા ખાતે જનજાગૃતિ રથને લીલી ઝંડી આપતા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે વેક્સીનેશન અંગેની જાગૃતિ આવે તે જરૂરી છે. સરકારના અનેક પ્રયાસો થઈ રહ્યા છે તથા જિલ્લા કલેકટર અને વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ  કુકરમુંડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો વેક્સીન વિશે સાચી સમજ મેળવે તે માટે જાગૃતિ લાવવાનું કાર્ય હાથ ધર્યું છે. કોરોના વેક્સીનેશન જનજાગૃતિ રથ ગામે-ગામ જઈ પ્રચાર પ્રસાર કરશે અને સાથો સાથ લોકોની જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર માટેની દવાઓ પૂરી પાડવામાં આવશે અને રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application