Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : આદિવાસીઓને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે થતી મુશ્કેલીઓ અંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું

  • October 09, 2021 

તાપી જિલ્લાના આદિવાસી સમાજના સાચા આદિવાસીઓને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે 37 જાતના પુરાવા માંગવામાં આવતા મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ ભારતીય ટ્રાયબલ પાર્ટીના તાપીના અધ્યક્ષ સમીરભાઈ નાઈકના અધ્યક્ષ સ્થાને તાલુકાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ દ્વારા પ્રાંત અધિકારી નિઝર મારફતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. સાચા આદિવાસીને જાતિના પ્રમાણપત્ર મેળવવા મામલતદાર કચેરીઓમાં અરજદારઓ પાસેથી પિતા, દાદા, પરદાદા, જન્મ રજીસ્ટરના ઉતારા, શાળામાં પ્રવેશના ઉતારા, શાળા છોડયાનું પ્રમાણપત્ર, કાયમી રહેઠાણ, 7/12ની નકલો 37 પુરાવા માંગવામાં આવે છે અને એક પુરાવો ન હોય તો દાખલો અપાતો નથી.

 

 

 

 

 

 

જેથી સાચા આદિવાસીને જાતિના દાખલાઓથી વંચિત રાખે છે. આદિવાસીઓએ મજૂરી કરીને તેમજ વરસાદી આધારિત ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે. જેઓ જાતિના દાખલા કાઢવવા પુરાવા કામકાજ છોડીને ધક્કા ખાઈ રહ્યા છે જેથી જિલ્લામાં સાચા આદિવાસી લોકો ત્રાસી ગયા છે વધુમાં તા.19મી સપ્ટેમ્બર 2020ના સરકારના જાહેરનામાનું ખાસ કરીને કેટલાંક લોકો માટે ચુસ્તપણે અમલ કરવામાં આવે તે યોગ્ય છે. જુના નિયમ મુજબ જાતિના દાખલાઓ નહી કાઢી આપવામાં આવે તો આવનાર સમયમાં સરકારને મોટુ જન આંદોલનનો સામનો કરવો પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application