Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાબરમતી આશ્રમથી આરંભાયેલી દાંડીયાત્રા છાપરાભાઠાથી નીકળી ડીડોલી ગામે પહોચી

  • April 03, 2021 

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રાનું ૨૨માં દિવસે સવારે છાપરભાઠા ગામેથી નીકળી અમરોલી, ગજેરા સર્કલ, માનવ ધર્મ આશ્રમ, બેલ્જીયમ સ્કવેરથી ફલાયઓવરબ્રિજ, ટેક્ષટાઈલ માર્કેટ ફલાય ઓવરબ્રિજ થઈ માન દરવાજા થઈ ઉધના દરવાજાથી ખરવરનગર ફલાય ઓવરબ્રિજ થઈ સીટીજન સ્કુલ, ઉધના ત્રણ રસ્તા થઈ ડીડોલી રેલ્વે ઓવરબ્રિજ થઈ ન.પ્રા.શાળા ક્રમાંક ૨૫૭ ખાતે આવી પહોચી હતી.

 

 

 

 

દાંડી યાત્રામાં સુરત શહેરના કતારગામ વિસ્તારના માનવ ધર્મ આશ્રમ ખાતેથી ગોવા રાજયના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત જોડાયને પદયાત્રિઓનો ઉત્સાહ વધાર્યો હતો. મુખ્યમંત્રી સાવંત બેલ્જીયમ સ્કવેરથી ફલાયઓવરબ્રિજ, ટેક્ષટાઈલ માર્કેટ ફલાય ઓવરબ્રિજ થઈ માન દરવાજા થઈ ઉધના દરવાજાથી ખરવરનગર ફલાય ઓવરબ્રિજ થઈ સીટીજન સ્કુલ, ઉધના ત્રણ રસ્તા સુધી જોડાયને પદયાત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

 

 

 

 

આ વેળાએ ધારાસભ્ય વિવેકભાઈ પટેલ તથા મહાનગરપાલિકાના વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રિકોનું ઠેર ઠેર શહેરીજનોએ ફુલહાર, સૂતરની આટી પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application