Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં મોવાછી ગામે એકલવાયુ જીવન જીવતા આધેડનું નહેરમાં ડૂબી જતાં મોત

  • June 17, 2021 

સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મોવાછી ગામે પરોણા ફળિયામાં રહેતા અને એકલવાયુ જીવન જીવતા આધેડની નહેરમાં ભૂંગરાની વચ્ચેથી લાશ મળી આવી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોવાછી ગામે પરોણા ફળિયામાં રહેતા સૂખાભાઈ કીકાભાઈ હળપતિ (ઉ.વર્ષ 55) એકલવાયું જીવન જીવતા હતા અને છૂટક મજૂરી કરી પોતાનું જીવન ગુજારતા હતા. છેલ્લા ચાર પાંચ દિવસથી તે ક્યાંક જતાં રહ્યા હતા. ત્યારબાદ બુધવારે સાંજે ગામના કેટલાક યુવાનો પરોણા ફળિયા પાછળ આવેલ હસમુખભાઈ કેશવભાઈ પ્રજાપતિના શેરડીના ખેતર પાસે નહેરમાં માછલી પકડવા ગયા હતા. ત્યારે નહેરના ભૂંગળામાં કોઈકની લાશ દેખાઈ હતી. આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશ બહાર કાઢતા એ લાશ સૂખાભાઈ કીકાભાઈ હળપતિની હોવાનું બહાર આવ્યું હતું. આધેડએ કોઈક અગમ્ય કારણોસર નહેરમાં ડૂબી જવાથી તેનું મોત થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application