Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૨૦૦ સિદ્ધિતપ તપસ્વીઓનો પારણોત્સવ યોજાયો

  • September 02, 2022 

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા આયોજિત મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ૨૦૦ સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો.




આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌ ઉપસ્થિતોને "મિચ્છામી દુક્કડમ" પાઠવીને જણાવ્યું હતું કે, ૨૦૦ સિદ્ધિતપ તપસ્વીઓના ૪૫ દિવસનાં સિદ્ધિ તપનાં પારણાંના આ પ્રસંગે ઉપસ્થિત રહીને હું ધન્યતા અનુભવું છું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જૈન ગુરુજનો અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ પારણોત્સવમાં રજવાડી શોભાયાત્રા સાથે રાજાશાહી પારણાં યોજાયા હતાં.પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચન્દ્રજિતસૂરીશ્વરજી મહારાજે આ પ્રસંગે તપનું મહત્વ સમજાવતા આશીર્વચન પાઠવ્યાં હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News