Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેવગઢ બારીયા નાયબ વન સંરક્ષક કચેરીમાં વધુ એક કર્મીએ એસીડ ગટગટાવી આત્મા હત્યા કરી લેતાં વન વિભાગનાનાં અધિકારીઓમાં ખળભળાટ મચી

  • July 19, 2024 

દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ નાયબ વન સંરક્ષક બારીયાની કચેરીનાં DCFની આત્મા હત્યાના એક સપ્તાહમાં બીજા એક કર્મીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલા નાયક વન સંરક્ષક બારીઆની કચેરીના DCF તરીકે ફરજ બજાવતા આર.એમ.પરમારે કોઈક અગમ્ય કારણો સર ગત તારીખ 12 જુલાઈનાં રોજ દાહોદ આવેલ પોતાના મકાનમાં વહેલી સવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.


જેને લઇ જિલ્લા સહિત વન વિભાગનાના અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હજી આ બનાવને એક સપ્તાહનો સમય થયો નથી ત્યાં ઓફિસમાં કાયમી રોજમદાર તરીકે ઓફિસમાં ફરજ બજાવતા મહેશ ભીમાભાઇ બારીયા (રહે.માતરીયા વેજ)એ જે ગત તારીખ 16 જુલાઈના રોજ ઘરેથી ઓફિસમાં જવું છું તેમ કહીને નીકળ્યા હતા અને સંતરોડ આવી કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવવા માટે એસિડ ગટગટાવી જઈ તેમના પુત્ર રાકેશને આ બનાવ અંગે પોતે જ ટેલીફોનથી જાણ કરતાં તેના પરિવારજનો સંતરોડ ખાતે દોડી આવી સારવાર હેઠળ ગોધરા ખસેડ્યા હતા.


જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. ત્યારે એક જ સપ્તાહના ટૂંકા ગાળામાં કચેરીના વડા તેમજ કચેરીના કાયમી રોજમદારની આત્મહત્યાથી વન વિભાગના કર્મીઓમા ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે હવે આ બંને કર્મીઓના મોતને લઈ પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરશે તે જોવાનું રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application