Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એન.કોટિશ્વર સિંહ અને જસ્ટિસ આર.મહાદેવનને નિમણુંકની મંજૂરી મળી

  • July 16, 2024 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સુપ્રીમકોર્ટમાં બે નવા જજોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એન.કોટિશ્વર સિંહ અને જસ્ટિસ આર. મહાદેવનની સુપ્રીમ કોર્ટમાં નિમણૂકને મંજૂરી મળી ગઈ છે. આ નિમણૂક બાદ જસ્ટિસ સિંહ મણિપુરથી સુપ્રીમ કોર્ટના જજ બનનારી પ્રથમ વ્યક્તિ હશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.કોટિશ્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર.મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજન બનાવવાની ભલામણ કરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની કોલેજિયમે 11 જુલાઈએ બંનેના નામની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સહિત 34 જજના પદને મંજૂરી મળી હતી. સુપ્રીમ કોર્ટમાં હાલમાં 32 જજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News