સુરત જિલ્લાનાં કામરેજ ચાર રસ્તા નજીક આવેલ હોટલનાં રૂમમાં સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારે હીરામાં મંદીને કારણે નોકરી છુટી જવાનાં કારણે હતાશામાં આવી જઈ ઝેરી દવા પી હાથની નસો કાપી લઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાવનગર જીલ્લાનાં સુભાષ નગર ખાતે રહેતા ૨૫ વર્ષીય ધવલ યોગેશભાઈ રાઠોડ રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. હીરામાં મંદીને કારણે તેણે નોકરી ગુમાવતા માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. તેણે કામરેજ ચાર રસ્તા નજીક આવેલ સ્પેસીફીક હોટલનાં રૂમ નં.૧૧૧માં ઝેરી દવા પી લઈ હાથની નસો કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ધવલભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application