Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાંવડ યાત્રા પૂર્ણ થતાં હરિદ્વારમાં 30,000 મેટ્રિક ટન કચરો સાફ કરવામાં 2થી 3 દિવસનો સમય લાગશે

  • July 17, 2023 

ગુરુ પૂર્ણિમાએ શરૂ થયેલી કાંવડ યાત્રા 15મી જુલાઈનાં રોજ પૂર્ણ થઈ છે. આ દરમિયાન ગંગાજળ લેવા માટે દેશભરમાંથી લગભગ 4 કરોડ 7 લાખ શ્રદ્ધાળુઓ હરિદ્વાર પહોંચ્યા હતા. આ કાંવડિયાઓ અહીંથી ગંગાનું પાણી લઈન નીકળી ચૂક્યા છે. પરંતુ તેમના પરત ફર્યા બાદ હરિદ્વારના ઘાટો પર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યાં છે. હરિદ્વારમાં ઘણી જગ્યાએ ફેલાયેલા કચરાને સાફ કરવાની જવાબદારી અધિકારીઓને સોંપવામાં આવી છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કચરાને સંપૂર્ણપણે સાફ કરવામાં હજુ બેથી ત્રણ દિવસનો સમય લાગી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે, હરિદ્વારમાં 30,000 મેટ્રિક ટન કચરો સાફ કરવાનો છે. તેમાં પોલીથીનનો મોટો જથ્થો છે.



કાંવડયાત્રા દરમિયાન દેશના ખૂણે-ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા નદીમાંથી પવિત્ર જળ લેવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. જોકે હરિદ્વારનાં રસ્તાઓ અને ઘાટો, બજારો અને રાજમાર્ગો હવે કાંવડિયાઓ  દ્વારા ફેંકવામાં આવેલા કચરોથી ભરાઈ ગયા છે. કચરા સાથે પોલીથીનના ઢગલા પણ જોવા મળી રહ્યા છે. જેના પર હરિદ્વારમાં સખત પ્રતિબંધ છે. જયારે ગતરોજ હરિદ્વાર પોલીસે પણ વિષ્ણુ ઘાટની સફાઈની કામગીરી હાથ ધરી હતી. કાંવડ મેળા બાદ પોલીસની ટીમે ઘાટ અને આસપાસની ગંદકી અને કચરો દૂર કરવાની કામગીરી કરી હતી. તે જ સમયે, મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ ઘાટ અને હર કી પૈડી વિસ્તારમાંથી કચરો એકત્ર કરવાના દાવા કરી રહી છે. કોર્પોરેશનનું કહેવું છે કે, કચરો એકઠો કરવામાં હજુ 2થી 3 દિવસનો સમય લાગી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News