Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાડિયામાં સિંહ ખેતરોમાં ઘૂસીને પશુઓનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો

  • December 24, 2024 

અમરેલી જિલ્લાના વડીયા પંથકનાં ખાખરિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી વન્યપ્રાણીઓ આંટાફેરા વધી ગયા છે. સિંહ ગમેત્યારે ગામ અને ખેતરોમાં ઘૂસીને પશુઓનું મારણ કરે છે. જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. રાત્રે ખેડૂતો ખેતરમાં પાણી વાળવા પણ નથી જઈ શકતા. તો પશુપાલકો પોતાના પશુની રક્ષા કરવાની ચિંતામા રાત્રે ઊંઘી પણ નથી શકતા. ત્યારે આ વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોએ સરકારને માગ કરી છે કે સિંહને ગામમાં ઘૂસતા રોકવામાં આવે કે પછી તેમને દૂર જંગલમાં ખદેડી દેવામાં આવે.


ખાખરિયા ગામમાં રવિવારે બાબુ ગોરસિયાના ખેતરમાં ત્રણ સિંહ ત્રાટક્યા હતાં અને પાંચ પશુમાંથી 3 પશુનું મારણ કર્યું હતું. ખેડૂતોના ઘર સમાન ખેતરમાં વન્ય પ્રાણીઓ આવીને પશુઓના મારણ કરે છે. ત્યારે સરકાર તરફથી પૂરતું વળતર ન મળતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ ઘટના અંગે ખેડૂતોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પશુઓના મૃતદેહોનું પંચનામું કર્યુ હતું. હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને કેટલું અને ક્યારે વળતર મળશે. નોંધનીય છે કે, સિંહ રેવન્યુ વિસ્તારોમાં ફરી રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં પશુઓના મારણ કરી રહ્યા છે. જેને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ છે. જેથી વન્ય પ્રાણીઓને જંગલ તરફ મોકલવા ખેડૂતોએ માગ કરી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application